સોશિયલ મીડિયાએ લોકોને ન માત્ર આળસુ, પરંતુ ચાલાક બનાવી દીધા છે. આ વાત ખાસ જે તહેવારમાં ઉજાગર થાય છે, દિવાળીનો તહેવાર તેમાંથી એક છે. સૌથી મોટા આ સામાજિક તહેવારમાં ગેટટુગેધર સ્માર્ટફોનની સ્ક્રીન સુધી સીમિત રહી ગયું છે કે આપણે કેટલા ઈન્ટ્રોવર્ડ અને સેલ્ફીશ થઈ ગયા છીએ અને પછી મનોમન રડવું, તે પણ સોશિયલ મીડિયા પર કેટલીક એવી પોસ્ટથી, રડે છે કે ફેસબુક પર તેના ૩ હજાર ફ્રેન્ડ હતા, પરંતુ જ્યારે એક્સિડન્ટમાં જખમી થઈને હોસ્પિટલમાં એડમિટ થયા તો જેવા ૩ લોકો પણ નથી આવતા. જાહેર છે કે આપણે એક આભાસી અને બનાવટી દુનિયામાં જીવવા ટેવાઈ ગયા છીએ. તહેવારનું મહત્ત્વ એ જ છે કે આપણે વાસ્તવિક સમાજમાં જીવીએ. સુખદુખમાં જે સાથ આપે તેના સુખદુખમાં સામેલ થાઓ, પરંતુ હવે આપણે ન તો દુખમાં કોઈની સાથે છીએ કે ન સુખમાં. આ વાતની હકીકત એ છે કે સુખદુખમાં આપણી સાથે પણ કોઈ નથી. આ એક નુકસાનકારક વાત લાગણી અને સમાજના લીધે છે જેનો અંદાજ હળવામળવાના પ્રસંગે થાય છે જેને આપણે સ્ક્રીનથી ઢાંકવાના નિષ્ફળ પ્રયાસમાં સ્વયંને અને બીજાને દગો આપવામાં માહેર થઈ ગયા છીએ.

એક જમાનો હતો જ્યારે દિવાળીની શુભેચ્છા લોકો ઘરેઘરે જઈને આપતા હતા, મીઠાઈ ખાતા ને ખવડાવતા હતા, નાસ્તો કરતા હતા, નાનામોટાના આશીર્વાદ લેતા હતા અને સમવયસ્ક એકબીજાને ગળે મળીને શુભેચ્છાનું આદાનપ્રદાન કરતા હતા અને આ ખરેખર હાર્દિક હતું, કોઈ દેખાડો નહોતા કરતા. સમય પસાર થતા લોકો વ્યસ્ત થવા લાગ્યા. વધતા શહેરીકરણ અને એકાકી પરિવારે અંતર પેદા કર્યું, પણ તેની ભરપાઈ ગ્રીટિંગ કાર્ડ્સની આત્મીયતાથી થવા લાગી, પરંતુ રૂબરૂ મળવાનો રિવાજ ખતમ થઈ ગયો છે. લોકો પોતાના શહેરના સગાંસંબંધીને મળવામાં જ દિવાળીની સાર્થકતા સમજતા હતા. આજના ડિજિટલ સમયમાં આત્મીયતા, ભાઈચારો, સંવેદના, ભાવના અને શુભેચ્છાનો અંત આવી ગયો છે. આજે દિવાળીની સવાર આનંદોલ્લાસથી નથી થતી, તે સ્માર્ટફોન જેાવાની ઉત્સુકતાથી થાય છે કે કેટલા લોકોના શુભેચ્છા મેસેજ આવ્યા છે. ગુસ્સો ત્યારે આવે છે જ્યારે ખબર પડે છે કે મુશ્કેલીથી ૩૦-૪૦ લોકોએ જ વિશ કર્યું, તે પણ કોપીપેસ્ટ અને ફોરવર્ડ મેસેજ. હા, ગ્રૂપમાં અવારનવાર લોકોના મેસેજ આવતા રહે છે, જેને જેાઈને ખુશી ઓછી અને ગુસ્સો વધારે આવે છે, કારણ કે આ મેસેજ દિવાળીના અઠવાડિયા પહેલાંથી વાયરલ થાય છે જેમાં નવાપણું નથી હોતું અને પોતાનાપણું નથી હોતું, જેના માટે દિવાળી ઓળખાય છે. બધું જૂઠું, બનાવટી અને ઔપચારિક હોય છે. તેથી બધાના મોંથી સાંભળવા મળે છે કે હવે દિવાળી ક્યાં પહેલાં જેવી રહી છે.

આવો પહેલાં જેવી દિવાળી ઊજવો
દિવાળી પહેલાં જેવી ખુશનુમા, આત્મીય અને શુભ-લાભવાળી થવી અશક્ય વાત નથી, પણ શરત એ છે કે શુભેચ્છા આપવાની રીત બદલાવી. આ ખૂબ સરળ છે જેના માટે આપણે આળસ અને સ્વાર્થની સાથેસાથે આંશિક અહમ્ છોડવો પડશે, જેને ત્યાગવાના ઉપદેશ રાતદિવસ અહીંથી ત્યાં આપે છે. સોશિયલ મીડિયાની એક ખામી છે કે તેમાં શુભેચ્છા આપનાર અને લેનાર જાણે સમજે છે કે તે બસ આમ જ એક રિવાજ હેઠળ ટાઈમ પાસ કરવા અને ખાનાપૂર્તિ માટે આપવામાં આવે છે.

જાતે જઈને આપો : દરેકના જીવનમાં કેટલાક લોકો તો એવા હોય છે જેના વિના સમાજ ભીડ બનીને રહી જાય. તેથી આ દિવાળી એવા લોકોના ઘરે જઈને વિશ કરો. તે સગાંસંબંધી પણ હોઈ શકે છે. સહકર્મી પણ હોઈ શકે છે, પાડોશી અને મિત્રો પણ હોઈ શકે છે જેથી સોશિયલ મીડિયાના લીધે આપણે દૂર થઈ ગયા છીએ. ભોપાલના એક વડીલ જી સક્સેના કહે છે કે ગઈ દિવાળીમાં તે ત્યારે ખુશ થયા જ્યારે તેમના ભત્રીજા અનિકેતે પત્ની અને ૭ વર્ષના દીકરા સહિત ઘરે આવીને પગે લાગીને આશીર્વાદ લીધા હતા અને થોડો સમય સાથે વિતાવ્યો હતો. આ બંનેની કહાણી ખૂબ લાંબી છે જેનો સાર એ છે કે કૌટુંબિક કડવાશના લીધે વર્ષોથી બોલચાલ સુધ્ધા બંધ હતી જે દિવાળીમાં મળતા જ દૂર થઈ ગઈ. તે કડવાશ, હકીકતમાં એક ગેરસમજ હતી. હવે અનિકેતના દિલનો બોજ ઊતરી ગયો. કેટલાય લોકોને મળવું મહત્ત્વપૂર્ણ હોય છે, જેના માટે દિવાળી ખરેખર શુભ પ્રસંગ છે. જેમ કે તમે અને તમારા બોસ એક જ શહેરમાં રહો છો તો દિવાળીમાં જઈને શુભેચ્છા આપવી પૂરા વર્ષ માટે નવા દરવાજા ખોલવાની વાત સાબિત થઈ શકે છે. નિશ્ચિત છે કે જેના ઘરે તમે જશો તેને એ અહેસાસ કરાવવામાં સફળ રહેશો કે તમે તેને કેટલું મહત્ત્વ આપો છો. જવાનો એ મતલબ નથી કે દિવાળીના દિવસે જ જાઓ, પરંતુ દિવાળીના ૪-૫ દિવસ પછી સુવિધાનુસાર જઈ શકો છો. તમારી સાથે મીઠાઈનું બોક્સ અથવા નાની ભેટ હોય તો સારી વાત છે. તમે અનુભવશો કે ખુશ અને સંતુષ્ટ તમે પણ છો, નહીં તો દિવાળીના ૩-૪ દિવસ તમે સ્માર્ટફોન સાથે એકલતાના અંધારામાં વિતાવશો.

ફોન કરી શકો છો : કદાચ કોઈ કારણસર ન જઈ શકો તો બીજી રીતે ફોન કરીને શુભેચ્છા આપવાની છે. સામાન્ય રીતે છેલ્લા ૧૦-૧૨ વર્ષથી લોકો એકબીજાને વોટ્સએપ મેસેજથી વિશ કરે છે. કોઈ યાદ નથી રાખતું, કારણ કે કેટલાક કલાક અથવા દિવસમાં તે ડિલીટ થઈ જાય છે, પરંતુ ફોન કરીને વાત કરશો તો ભૂલવું સરળ નથી હોતું. મેસેજવાળી શુભેચ્છા તો ઘેટાબકરા જેવી હોય છે, જેને કોઈ વ્યક્તિગત રીતે કે ગંભીરતાથી નથી લેતું. બેંગલુરુની એક સોફ્ટવેર કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતી અપૂર્વા કહે છે, ‘‘દિવાળીના દિવસે સવારથી જ હું પરિચિત, મિત્રો, સગાંસંબંધી અને કલીગને ફોન કરીને શુભેચ્છા આપું છું તો તેની ફીલિંગ્સ મેસેજની સરખામણીમાં વધારે સારી આવે છે. આજકાલ લોકો બિઝી રહેવા લાગ્યા છે, તેથી ફોન પર તે લોકો સાથે વાત થાય છે જેમની પાસે કોઈ કામ હોય, પરંતુ તે લોકો ઓછા ઘમંડી નથી હોતા, જેમને કોઈ કામ નથી હોતું. તેથી દિવાળીમાં બધા કામકાજ છોડીને હું બધાને ફોન કરું છું તો એવું લાગે છે લાગણીઓનું નવીનીકરણ થયું. હું નવા ઉત્સાહ અને ઊર્જ અનુભવું છું.

તેમને તો મળી શકો છો : સમય એપાર્ટમેન્ટ અને કોલોનીનો છે. આશ્ચર્યની વાત એ છે કે કારણ કોઈ પણ હોય, આપણે પાડોશીને સારી રીતે જાણતા નથી. દિવાળીમાં સંકોચ, પૂર્વગ્રહ અને અહમ્ ભૂલીને પાડોશીઓને જાતે જઈને શુભેચ્છા આપશો તો ન માત્ર સાચા પાડોશીની ઓળખ થશે, પરંતુ ભવિષ્ય માટે એક સ્થાયી મિત્ર મળવાની શક્યતા વધી જશે. સુખમાં આવો ન આવો. દુખ અને તકલીફના સમયે પાડોશી જ સૌપ્રથમ કામ આવે છે. આ પ્રચલિત વાત કારણ વિનાની નથી, પણ હકીકત છે. તેથી પાડોશીઓ પાસે શુભેચ્છા આપતા ખચકાશો નહીં. શક્ય છે જે સંકોચના તમે શિકાર છો. પહેલ કોઈ પણ કરે. આ દિવાળીમાં સંકોચ દૂર કરો. આજકાલ લોકો સોશિયલ મીડિયાથી ટેવાઈ ગયા છે, પરંતુ તેનો વિકલ્પ નથી શોધી રહ્યા, જ્યારે તમે જે પોતાનાપણું, લાગણી અને મિત્રતાનો વિકલ્પ સોશિયલ મીડિયાને માન્યો હતો તેને છોડીને ફરીથી હળવામળવા અને દિવાળીની શુભેચ્છા જાતે જઈને અથવા ફોન કરીને આપવાનો સિલસિલો શરૂ કરો.

વધુ વાંચવા કિલક કરો....