જ્યારે ગર્ભનિરોધક વિના ૧ વર્ષ સુધી પ્રયાસ કર્યા પછી પણ સ્વાભાવિક રીતે કોઈ પરિણીત યુગલ ગર્ભધારણ કરવામાં સફળ નથી થતું ત્યારે તેને વંધ્યત્વ કહેવામાં આવે છે. ભારતમાં ૧૦ થી ૧૫ ટકા યુગલ વંધ્યત્વથી પીડિત છે. આ સ્થિતિ અનેક કારણસર થઈ શકે છે જેમ કે ડાયાબિટીસ, હાઈ બીપી, થાઈરોઈડ, સ્થૂળતા, હોર્મોનલ સમસ્યા અને પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ પીસીઓએસ.
તે ઉપરાંત અયોગ્ય લાઈફસ્ટાઈલની ટેવો જેમ કે તમાકુ, દારૂ, અયોગ્ય ભોજનનું સેવન અને શારીરિક મહેનત વિનાનું જીવન જીવવાના પરિણામસ્વરૂપ આ સ્થિતિ ઊભી થાય છે. અહીં એ વાતનું ધ્યાન રાખવું મહત્ત્વનું છે કે વંધ્યત્વના કુલ કેસમાંથી એક તૃતીયાંશ કેસમાં મહિલા સાથી, એક તૃતીયાંશ કેસમાં પુરુષ સાથી અને બાકીના કેસમાં બંને સાથી સમસ્યા માટે જવાબદાર જેાવા મળે છે. તેથી એ વાત સમજવી જરૂરી છે કે વંધ્યત્વ માત્ર મહિલા સંબંધિત મુદ્દો નથી, જેવું સમાજ આજે પણ વિચારે છે.
મોટાભાગે જેાવા મળે છે કે પુરુષસાથીમાં પણ અનેક સમસ્યા જેમ કે ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન એટલે નપુંસકતા અને એજેસ્પર્મિયા એટલે કે શુક્રાણુની ગેરહાજરી હોય છે, જેનાથી વંધ્યત્વની સમસ્યા થાય છે. કેટલાક યુગલ સમસ્યાના મૂળમાં પહોંચ્યા વિના બાળક પેદા કરવાનો પ્રયાસ કરે છે. તેમાંથી કેટલાક તો બાળકોનો સંપર્ક કરતા હોય છે અને બાબાઓ સમસ્યાના ઉકેલ માટે ઝાડફૂંકનો સહારો લે છે.

સર્વોત્તમ સમાધાનનો વિકલ્પ
વંધ્યત્વ એક મેડિકલ સમસ્યા છે અને તેને દૂર કરવા માટે મેડિકલ સારવારની જરૂર પડે છે. વિશ્વમાં ૨૫ જુલાઈ, ૧૯૭૮ ના રોજ પહેલી ‘ટેસ્ટ ટ્યૂબ બેબી’, ‘લુઈસ બ્રાઉન’ જન્મી હતી. લુઈસનો જન્મ ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશન એટલે કે આઈવીએફ પ્રક્રિયાથી થયો હતો. ‘ઈનવિટ્રો’ શબ્દનો અર્થ છે ‘કોઈના શરીરની બહાર’ છે અને ફર્ટિલાઈઝેશન અથવા નિષેચન એક એવી પ્રક્રિયા છે જ્યાં મહિલાનું ઈંડું અને પુરુષના શુક્રાણુને જીવન બનાવવા માટે એકસાથે ફ્યૂઝ કરવામાં આવે છે. આ રીતે ઈંડું અને શુક્રાણુ શરીરની બહાર મહિલાના ગર્ભાશયના બદલે એક લેબમાં મળે છે અને તેને પાછળથી ગર્ભાશયમાં મૂકવામાં આવે છે.
અહીંથી અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી એટલે કે એઆરટીનો જન્મ થયો. આઈવીએફ, એઆરટીની અનેક વિધિમાંથી માત્ર એક પ્રક્રિયા છે. છેલ્લા ૪૪ વર્ષમાં દુનિયા ટેક્નિકલ રીતે ખૂબ પ્રગતિ કરી ચૂકી છે જેનાથી બીજા પણ ઘણા બધા એઆરટી વિકલ્પ ઉપલબ્ધ થયા છે, જેમાં ઈંટ્રાસાઈટોપ્લાઝમિક સ્પર્મ ઈંજેક્શન (આઈસીએસઆઈ) અને ઈંટ્રાયુટરાઈન ઈનસેમિનેશન (આઈયૂઆઈ) સામેલ છે.
આવો આ મેડિકલ સારવારને સમજીએ, જેથી પરિણીત લોકો પોતાની વંધ્યત્વની સમસ્યાના સર્વોત્તમ સારવારના વિકલ્પને પસંદ કરી શકે.
જ્યારે કોઈ દંપતી ૧ વર્ષથી વધારે સમયથી સ્વાભાવિક રીતે બાળક પેદા કરવામાં અસમર્થ રહે તો સૌપ્રથમ તેમણે કોઈ સારા ફર્ટિલિટી વિશેષજ્ઞની સલાહ લેવી જેાઈએ. જેાકે અહીં એ વાતનું ધ્યાન રાખવું મહત્ત્વનું છે કે કેટલાક યુગલો પોતાની મરજીથી પાછળથી ગર્ભધારણ કરવા ઈચ્છતા હોય છે, તેથી ૧ વર્ષનો સમયગાળો બધા યુગલોને લાગુ નથી પડતો. કાઉન્સેલિંગ દરમિયાન દંપતી સાથે તેમના મેડિકલ ઈતિહાસ બાબતે ચર્ચા કરવામાં આવે છે. અહીં એ વાત જાણવી જરૂરી છે કે વંધ્યત્વની સારવાર ૧૦૦ ટકા સફળતાની ગેરન્ટી નથી આપતી, તેથી યુગલોએ આ પ્રક્રિયાના કોઈ પણ જેાખમ અને દુષ્પ્રભાવને પહેલાંથી જાણી લેવા જેાઈએ.

બ્લડ ટેસ્ટ અલ્ટ્રાસાઉન્ડ
બીજા સ્ટેપમાં પરિણીત દંપતીની સમસ્યાના મૂળને સમજવા માટે બ્લડ ટેસ્ટ તથા સ્કેન કરવામાં આવે છે, જેથી ડાયાબિટીસ હાઈ બ્લડપ્રેશર અથવા થાઈરોઈડ જેવી કોઈ પણ પહેલાંની સ્થિતિ સમજી શકાય. હોર્મોનના સ્તર અને અલ્ટ્રાસાઉન્ડની તપાસ માટે બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવે છે, જેથી તપાસી શકાય કે મહિલાના ગર્ભાશય અને અંડાશયમાં પીસીઓએસ, ફાઈબ્રોઈડ્સ અથવા એન્ડોમિટ્રિઓસિસ જેવી કોઈ વૃદ્ધિ છે કે નહીં. આમ કરવાથી એ વાત જાણવામાં મદદ મળે છે કે શું મહિલાના અંડાશયમાં ઈંડા છે, જેનો ઉપયોગ સારવાર માટે કરી શકાય.

વીર્ય વિશ્લેષણ
વીર્ય તરલ પદાર્થ છે, જેમાં શુક્રાણુ હોય છે. શુક્રાણુઓની સંખ્યા, તેનો આકાર અને તેમની ગતિની તપાસ માટે પુરુષ સાથીના વીર્યનું વિશ્લેષણ કરવામાં આવે છે, કારણ કે આ ત્રણેય કોઈ પણ યુગલની પ્રજનનક્ષમતા માટે ખૂબ જરૂરી હોય છે.

ફોલોઅપ કંસલ્ટેશન
આ તમામ પરીક્ષણના પરિણામ જાહેર થયા પછી વિશેષજ્ઞ સાથે ફોલોઅપ કંસલ્ટેશન ફિક્સ કરવામાં આવે છે. તેમાં તારણો પર ચર્ચા કરવામાં આવે છે અને ત્યાર પછી સારવાર પર ચર્ચા થાય છે. તેમાં કોઈ સામાન્ય ચિકિત્સક અથવા એન્ડોક્રાઈનોલોજિસ્ટ સાથે ફોલોઅપ સામેલ થઈ શકે છે, જેમાં કોઈ પણ વર્તમાન બીમારીની દવા શરૂ કરવા માટે જે પ્રજનનમાં અડચણ પેદા કરી રહી હોય તેની પર ચર્ચા કરવામાં આવે છે.
આ એટલે કરવામાં આવે છે, કારણ કે કેટલાક કેસમાં બીજી બીમારી ઠીક થવાથી દંપતી યુગલ સ્વાભાવિક રીતે ગર્ભધારણ કરી લે છે, નહીં તો દર્દીની સાથે એઆરટી ઉપચાર યોજના પર ચર્ચા કરવામાં આવે છે. તેમની સહમતી લેવામાં આવે છે અને ત્યાર પછી સારવાર શરૂ થતી હોય છે. કેટલાક કેસમાં દર્દીઓને વધારે પરીક્ષણ કરાવવાનું કહેવામાં આવી શકે છે.

અંડાશય ઔષધિ પ્રયોગ
સારવાર અંતર્ગત મહિલાસાથીને હોર્મોનલ ઈંજેક્શન લેવાની જરૂર પડે છે. એક સામાન્ય પીરિયડચક્રમાં દર મહિને એક નિશ્ચિત સંખ્યામાં ઈંડા નીકળતા હોય છે, કારણ કે એઆરટી પ્રક્રિયા માટે વધારે ઈંડાની ઉપલબ્ધતાની જરૂર પડે છે, તેથી હોર્મોનલ ઈંજેક્શનથી દવાનો પ્રયોગ એ વાતને સુનિશ્ચિત કરે છે કે ઘણા બધા ઈંડા વિકસિત થાય. મહિલા સાથીને નિયમિત લોહીની તપાસ અને અલ્ટ્રાસાઉન્ડની મદદથી જેાવામાં આવે છે કે દવાઓએ તેને કેવી રીતે અસર કરી છે. પછી એક ટ્રિગર ઈંજેક્શન આપવામાં આવે છે, જેથી ઈંડા પરિપક્વ થાય.

ઈંડાં સંગ્રહ/ એગ પિક/ વીર્ય સંગ્રહ
ઈંડાના સંગ્રહ દરમિયાન મહિલાને એનેસ્થેસિયા અંતર્ગત રાખવામાં આવે છે. ઈંડાની કલ્પના કરવા માટે યોનિના માધ્યમથી એક અલ્ટ્રાસાઉન્ડ રોડ નાખવામાં આવે છે, ત્યાર પછી તેને સોયની સાથે એકત્ર કરવામાં આવે છે. તે જ દિવસે પુરુષ સાથી પોતાના વીર્યનો નમૂનો આપે છે અને તેની ગુણવત્તાની તપાસ કરવામાં આવે છે અને બીજા તબક્કા માટે સર્વશ્રેષ્ઠ વીર્યનો ઉપયોગ કરવામાં આવે છે.

ફર્ટિલાઈઝેશન અને ભ્રૂણ સ્થળાંતરણ
આઈવીએફ અને આઈસીએસઆઈમાં ફર્ટિલાઈઝેશનની પ્રક્રિયા અલગઅલગ હોય છે. આઈવીએફમાં ઘણા બધા ઈંડા અને શુક્રાણુઓના ફર્ટિલાઈઝેશન માટે એક ઈનક્યૂલેટરમાં રાખવામાં આવે છે.
આઈસીએસઆઈમાં એક સારા શુક્રાણુને ઈંડામાં નાખવામાં આવે છે. કોઈ પણ પ્રક્રિયામાં આ પ્રકારે બનેલા ભ્રૂણને ૫-૬ દિવસ એટલે કે ત્યાં સુધી વિકસિત થવા દેવામાં આવે છે, જ્યાં સુધી તે બ્લાસ્ટોસિસ્ટ નામક તબક્કા સુધી નથી પહોંચી જતા. આ બ્લાસ્ટોસિસ્ટ્સને પ્રીઈંપ્લાંટેશન જેનેટિક ટેસ્ટિંગ (પીજીટી) નો ઉપયોગ કરીને તેના આનુવંશિક ચેકઅપ માટે તપાસવામાં આવે છે જે કોઈ પણ આનુવંશિક રીતે અસામાન્ય બ્લાસ્ટોસિસ્ટને દૂર કરવામાં મદદ કરે છે.
આવું જ એક બ્લાસ્ટોસિસ્ટ ભ્રૂણ સ્થળાંતરણ નામક પ્રક્રિયાની મદદથી ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે એકસાથે ઘણા બધા ભ્રૂણ સ્થળાંતરિત ન થાય, નહીં તો તે ગર્ભાવસ્થાની મુશ્કેલીનું કારણ બની શકે છે.

ગર્ભાવસ્થા પરીક્ષણ
સ્થળાંતરણના ૧૨ દિવસ પછી ગર્ભાવસ્થા પરીક્ષણ કરવામાં આવે છે, જેથી જાણી શકાય કે આ પ્રક્રિયાના પરિણામસ્વરૂપ ગર્ભાવસ્થા થઈ છે કે નહીં.
ઈંટ્રાયૂટરાઈન ઈનસેમિનેશન (આઈયૂઆઈ) આઈવીએફ અને આઈસીએસઆઈ માટે આઈયૂઆઈ તબક્કો યોગ્ય છે. જેાકે આઈયૂઆઈ માટેની પ્રક્રિયા થોડી અલગ છે. અંતર્ગર્ભાશયી ગર્ભાધાન એવી પ્રક્રિયા છે, જેમાં ઈંડાને નિષેચિત કરવા માટે સર્વોત્તમ ગુણવત્તાવાળા શુક્રાણુઓને ગર્ભાશયમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. અહીં ઉદેશ્ય શુક્રાણુઓને શક્ય તેટલા ઈંડાની નજીક લાવવાનો છે. જેાકે આ પ્રક્રિયા આઈવીએફ અને આઈસીએસઆઈથી અલગ છે, કારણ કે અંડકોષ અને શુક્રાણુ બંનેને બાહ્ય વાતાવરણમાં સાચવવામાં આવે છે.
આઈયૂઆઈ સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે છે, જ્યારે મહિલા સાથીને એંડોમિટ્રિઓસિસ ગ્રીવા સંબંધિત સમસ્યા હોય છે, પુરુષ વંધ્યત્વનો અનુભવ કરતો હોય અથવા યુગલ અસ્પજીકૃત વંધ્યત્વનો અનુભવ કરે છે. અહીં વીર્યનો નમૂનો લેવામાં આવે છે, જેને સર્વોત્તમ ગુણવત્તાવાળા શુક્રાણુની પસંદગી કરવા અને ગંદકી તથા વીર્યના પ્રવાહીને દૂર કરવા માટે ધોવામાં આવે છે.
ઓવ્યૂલેશનનો સમય (જ્યારે દર મહિને મહિલાના અંડાશયમાંથી ઈંડું નીકળે છે) અલ્ટ્રાસાઉન્ડ અને બ્લડ ટેસ્ટની મદદથી મહિલા સાથીની બારીકાઈથી દેખરેખ રાખવામાં આવે છ. કેટલાક કિસ્સામાં દર્દી પ્રક્રિયાને પ્રોત્સાહિત કરવા માટે પ્રજનનક્ષમતાની દવા પણ લઈ શકે છે. સ્થળાંતરણના ૧૨ દિવસ પછી એક ગર્ભાવસ્થા પરીક્ષણ કરવામાં આવે છે, જેથી જેાઈ શકાય કે તેના પરિણામસ્વરૂપ ગર્ભાવસ્થા થઈ છે કે નહીં.

સેલ્ફ સાઈકલ તથા ડોનર સાઈકલ
જ્યારે એઆરટી પ્રક્રિયા મહિલા અને પુરુષ ભાગીદારોના ઈંડા અને શુક્રાણુની મદદથી કરવામાં આવે તો તેને સેલ્ફ સાઈકલ કહેવામાં આવે છે. કેટલાક યુગલોમાં એક અથવા બંને સાથી પર્યાપ્ત શુક્રાણુ અથવા ઈંડાનું ઉત્પાદન નથી કરી શકતા. આવા કિસ્સામાં ડોનરની જરૂર પડે છે. અહીં ઈંડા અથવા શુક્રાણુ અથવા બંને ડોનર પાસેથી લેવામાં આવે છે. જેવો કેસ હોય, તે પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે છે. આ એક ડોનર સાઈકલ છે. આ તમામ વિકલ્પો પર વંધ્યત્વના વિશેષજ્ઞ દ્વારા પીડિત સાથે ચર્ચા કરવામાં આવે છે અને સારવાર શરૂ કરતા પહેલાં દર્દીની સહમતી પણ લેવામાં આવે છે.
– ડો. ક્ષિતિજ મુર્ડિયા.

વધુ વાંચવા કિલક કરો....