એક જૂની કહેવત છે કે જ્યારે ગરીબી દરવાજા પર આવે છે ત્યારે પ્રેમ બારીમાંથી કૂદીને ભાગી જાય છે.’ ખરેખર કહેનારે સાચું જ કહ્યું છે. સંબંધમાં સમર્પણ, શ્રદ્ધા અને ઈમાનદારી પ્રેમના લીધે જ હોય છે, પરંતુ આ પ્રેમનો પૈસાના અભાવે અંત આવી જાય છે. એક સમય એવો પણ હતો જ્યારે સંબંધ અને તેની સંવેદનશીલતાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવતા હતા. સંબંધ સ્થપાતા પૈસાના ત્રાજવે તોલ્યા પછી અને સંબંધ બાંધવાની કોશિશ શરૂ કરતા પહેલાં તેમાં એકબીજાના સ્ટેટસ સિમ્બોલ પહેલા પારખવામાં આવે છે. ત્યાં સુધી કે પોતાના સગાંસંબંધી સાથે ભવિષ્યમાં સંબંધ જાળવી રાખવા બંનેના આર્થિક સ્તરને પહેલા તોલવામાં આવે છે.

જિંદગી જીવવા માટે જરૂરિયાત અને સુવિધાની વસ્તુ મેળવવામાં પૈસા કામ લાગે છે. તમામ વસ્તુની કિંમત પૈસાના બદલામાં તોલવામાં આવે છે. સમયની સાથે વ્યક્તિના મૂલ્યને પણ પૈસાથી આંકવામાં?આવે છે. સ્પષ્ટ છે કે સંબંધના તાણાવાણા પણ હવે તેની આજુબાજુ ફરવા લાગે. આ વાત જાણવા છતાં કે જીવન જીવવા માટે રોટલી, કપડાં અને મકાન ઉપરાંત આસપાસના સુખદ સંબંધ અને તેનો અહેસાસ પણ ખૂબ જરૂરી હોય છે. સારા સંબંધો ન માત્ર આપણને હંમેશાં અંદરથી સંપૂર્ણતાનો અહેસાસ કરાવે છે, સાથે સમયેકસમયે આપણને મદદ કરે છે. જેાકે એ અલગ વાત છે કે સંબંધમાં પણ કેલ્ક્યુલેશન હોવું નેચરલ છે. લોકો પહેલાંથી સંબંધમાં એકબીજાની લેવડદેવડનું અનુમાન લગાવતા હોય છે. તે પછી તેઓ નિર્ણય કરે છે કે કયા સંબંધને કયા માળખામાં ઢાળવોે. આ સંબંધ આસપાસની અનેક વસ્તુથી પ્રભાવિત થાય છે. તેમાં આર્થિક સ્થિતિ પ્રાથમિક અને મહત્ત્વની હોય છે.

ડિપેન્ડન્ટ રિલેશનશિપ
આ વિષયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વર્ષા કુમારીનું માનવું છે કે દરેક સંબંધને સુદઢ બનાવવામાં પૈસા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માન્યું કે સંબંધ બનવામાં અને તેના સ્વામિત્વ માટે તેમાં પ્રેમ, લગાવ અને પર્સનાલિટીના તત્ત્વો સામેલ હોય છે, પરંતુ પૈસા વિના આ સંબંધ વધારે દિવસ સુધી નથી ચાલતા. પ્રેમ વ્યક્ત કરવા અને જાળવી રાખવા માટે પૈસાની જરૂર પડે છે. ફેશન ડિઝાઈનર પૂનમ ગુલાટીનું કહેવું છે કે આપણા જીવનમાં સૌથી નજીકનો સંબંધ પતિપત્નીનો હોય છે. લગ્ન પછીના થોડા સમયમાં મેં કામ કરવાનું બંધ કરી દીધું હતું. ૩ વર્ષ પછી જ્યારે મેં બહાર જઈને કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મારા વ્યવહારને મારા પતિ જુદી રીતે જેાવા લાગ્યા છે. કહેવાનો અર્થ એ છે કે તેઓ એમ કહેવાથી દૂર નથી રહેતા કે ‘‘અરે હવે તું પણ કમાતી થઈ ગઈ છે.’’ બીજા સંબંધમાં હું આવી પ્રતિક્રિયા સહન કરી લઉં છું, પરંતુ પોતાના પતિ પાસેથી આવા શબ્દો સાંભળતા મને ખરેખર દુખ થાય છે. આ કમાણીના પૈસાએ તમામ સંબંધ બદલી નાખ્યા છે.

બજારવાદની અસર
સમયની સાથે ઉપભોક્તાના લીધે પણ પૈસાનું મહત્ત્વ વધતું રહ્યું છે, સાથે બીજી વસ્તુનું મૂલ્ય ઘટી ગયું છે. આધુનિક સમાજની બધી ઝાકઝમાળ પૈસા પર જ ટકેલી છે. આપણી આસપાસ જેાવા મળતા તમામ માનસન્માન અને સંબંધ પૈસાના માપદંડથી તોલવામાં આવે છે. બીજી તરફ જાહેરાતો પણ લોકોની લાગણીને ઉશ્કેરતી હોય છે. ભૂતકાળમાં એક જાહેરાત ટીવી પર આવતી હતી, જેમાં એક નાનકડું બાળક ઘરેથી ભાગીને રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે, ત્યાં ગરમાગરમ જલેબી જુએ છે અને તેની લાલચમાં પાછો ઘરે આવી જાય છે. એટલે કે બાળપણથી આ ભોળા બાળકોના મગજમાં એ વાત બેસાડી દેવામાં આવી છે કે તેની સાથે જેાડાયેલા સંબંધ તેને પાછા ઘરે નથી બોલાવતા. આ જલેબી તેની અંદર લાલચ પેદા કરે છે અને તે સંબંધોને જાળવી રાખે છે. જેાકે હવે જલેબી નહીં પિઝા, બર્ગર અને આઈફોનનો જમાનો છે. ફરક માત્ર એટલો જ છે. ઘણી વાર જેાવા મળે છે કે પત્ની પોતાના પતિને કહેતી હોય છે કે તમે મને પ્રેમ નથી કરતા. મારા માટે ઘણા દિવસથી કોઈ ગિફ્ટ નથી લાવ્યા, અથવા પતિપત્નીના પ્રેમ વચ્ચે ભૌતિક વસ્તુ જરૂરી છે. પરંતુ આ બધી પરિસ્થિતિના લીધે સંબંધમાં વિસંગતિ આવી ગઈ છે. પૈસાની અધિકતા અથવા અભાવે સંબંધ તૂટવા અને વિખેરાવા લાગ્યા છે. પરિણામે આપણા સમાજમાં એકલતા ગ્રસ્ત એક વિશાળ વર્ગ વિકસિત થઈ રહ્યો છે.

ભાવનાત્મક વલણ
જેાકે શિક્ષિકા રશ્મિ સહાયના આ વિષયે વિચાર થોડા અલગ છે. તે જણાવે છે ‘‘માન્યું કે આજે સંબંધની વચ્ચે પૈસા આવી ગયા છે, પરંતુ વ્યક્તિગત રીતે હું મારા સંબંધોની વચ્ચે પૈસા આવવા નથી દેતી. આ વાતને મારી ભાવુકતા પણ કહી શકો છો, પરંતુ મારું માનવું છે કે જ્યારે સંબંધમાં હિસાબકિતાબ આવવા લાગે છે, ત્યારે તે બોજારૂપ બનવા લાગે છે. તેથી મારી કોશિશ એ જ રહેતી હોય છે કે સંબંધમાં પૈસા વચ્ચે ન આવે અને જેા આવી પણ જાય તો હું તેને પ્રાથમિકતા નથી આપતી, પરંતુ હા, ઘણી વાર મારે તેના લીધે ફાઈનાન્સિયલ લોસ સહન કરવો પડે છે, પરંતુ આપણી જિંદગી ખુશીઆનંદથી ભરપૂર આ જ સંબંધોને લીધે રહે છે. પછી ભલે ને તમે તેને મારું ઓવર ઈમોશનલ કહો કે પછી મને પ્રેક્ટિકલ પણ ન કહો.
– રંભા.

વધુ વાંચવા કિલક કરો....