૨૦૦૮માં રોહિત એનડી તિવારી વિરુદ્ધ અદાલત પહોંચ્યા હતા. રોહિતે દાવો કર્યો હતો કે તે પૂર્વ કોંગ્રેસ નેતા અને તેની મા ઉજ્જ્વલા શર્માનો દીકરો છે. એનડી તિવારીએ દિલ્લી હાઈકોર્ટમાં આ મામલાને રદબાતલ કરવાની વિનંતી કરી હતી. જેાકે કોર્ટે ૨૦૧૦ માં તિવારીની આ વિનંતીને રદબાતલ કરી દીધી હતી. ૨૩ ડિસેમ્બર, ૨૦૧૦ ના રોજ હાઈકોર્ટે વાસ્તવિકતા જાણવા માટે બંનેને ડીએનએ ટેસ્ટ કરાવવા આદેશ આપ્યો. જેાકે એનડી તિવારીએ તેની વિરુદ્ધ ખૂબ હાથપગ માર્યા અને સુપ્રીમ કોર્ટ પણ ગયા, પરંતુ ત્યાંથી ખાલી હાથ આવવું પડ્યું હતું. ત્યાર પછી તેણે બ્લડ તો આપ્યું, પરંતુ તેના પરિણામને જાહેર ન કરવાની રિક્વેસ્ટ કરી હતી, જે કોર્ટે ન સ્વીકારી અને રોહિતનો દાવો સાચો નીકળ્યો. ડીએનએ ટેસ્ટ પછી રોહિતને દીકરાનો હક મળ્યો, પરંતુ કમનસીબે ૩૯ વર્ષની ઉંમરમાં રોહિતનું હાર્ટએટેક થવાથી મૃત્યુ થયું. તે ઉપરાંત એક વાર છત્તીસગઢના મુસાબનીમાં એક દીકરાને પિતાની ઓળખ જાણવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડ્યો, કારણ કે પોલીસને એકસાથે ૨ શબ છત્તીસગઢના મુસાબનીમાં મળ્યા હતા. પરિવારજનો તેને ઓળખી નહોતા શકતા. તે જાણવા માટે પોલીસે મેજિસ્ટ્રેટ સામે ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને પછી સંબંધિત શબ પરિવારને સોંપ્યો.

શોધ કરી
ફ્રેડરિક મિશરે ૧૮૬૯ માં ડીએનએની શોધ કરી હતી અને તેમણે તેનું નામ ન્યૂક્લિન રાખ્યું. ત્યાર પછી ૧૮૮૧ માં અલ્બ્રેક્ટ કોસેલે ન્યૂક્લિનને ન્યૂક્લિક એસિડ તરીકે મળ્યું. ત્યારે તેને ડીઓક્સિરાઈબોઝ ન્યૂક્લિન એસિડ નામ આપવામાં આવ્યું હતું અને તેને જ ડીએનએનું ફુલફોર્મ કહેવામાં આવે છે.

સંરચના
ડીએનએ જીવિત કોશિકાઓના ગુણસૂત્રોમાં જેાવા મળતા તંતુ જેવા અણુને ડીઓક્સિરાઈબોન્યૂક્લિક એસિડ અથવા ડીએનએ કહેવાય છે. તેમાં જેનેટિક કોડ નિબદ્ધ રહે છે. ડીએનએ અણુની સંરચના ગોળ સીડી જેવી હોય છે.

ડીએનએ તપાસથી ડરો નહીં
આ બાબતે મુંબઈના અપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલની જનરલ ફિઝિશિયન ડો. છાયા વજ કહે છે કે હકીકતમાં કોઈ પણ બીમારીને શોધવા માટે કેટલાય પ્રકારની તપાસ કરવામાં આવે છે. તેમાં ડીએનએ તપાસનું નામ સાંભળીને ભલભલા લોકો ડરી જાય છે. આ એક એવું ટેસ્ટલ છે, જે આપણા જીન્સ વિશે જાણકારી આપે છે. બદલાતા જમાનામાં હત્યા અને બળાત્કાર જેવા અનેક ગુના ઉકેલવા માટે ડીએનએ પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી મોટાભાગના લોકો તેના વિશે થોડુંઘણું જાણે છે.

ડીએનએ શું છે
ડોક્ટર છાયા કહે છે કે દરેક વ્યક્તિનો ડીએનએ અલગ હોય છે. ડીએનએમાં ૪ ઘટક હોય છે. એડેનિન (એ), થાયમિન (ટી), ગ્વાનિન (જી) અને સાઈટોસિન (સી). આ ડીએનએ તપાસ કરવા માટે હોય છે. એક અપરાધી શોધવા અને માતાપિતા પોતાના છે કે નહીં તે જાણવા માટે આ તપાસ કરવી પડે છે, કારણ કે બાળકોનો ડીએનએ તેના માતાપિતાથી બને છે, પરંતુ બાળકો અને તેના માતાપિતાનો ડીએનએ સમાન નથી હોતો, પરંતુ થોડો અંશ મળતો હોય છે. એક ડીએનએ તપાસ દ્વારા પિતૃત્વ પરીક્ષણ કરવામાં આવે છે અને તે લગભગ ૧૦૦ ટકા ચોક્કસ હોય છે કે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના બાળકનો પિતા છે કે નહીં. ડીએનએ ટેસ્ટમાં ચીક સ્વેબ અથવા બ્લડ ટેસ્ટનો ઉપયોગ કરી શકો છો. જેા તમને કાનૂની કારણસર પરિણામની જરૂર છે, તો તમારે ચિકિત્સા સેટિંગમાં પરીક્ષણ કરાવવું જેાઈએ. પ્રસવ પહેલાં પિતૃત્વ પરીક્ષણ, ગર્ભાવસ્થા દરમિયાન પિતૃત્વનું નિર્ધારણ કરી શકો છો.

ડીએનએ શું છે
ડીએનએ એક સાયન્ટિફિક ટર્મ છે. તેથી તેને સરળ ભાષામાં સમજાવે છે. વ્યક્તિના શરીરમાં એક ડીએનએ કોડિંગ હોય છે અને આ કોડિંગ જે રીતે થાય છે, શરીર તે પ્રમાણે બને છે અથવા કોડિંગ નક્કી કરે છે કે બાળકની આંખનો રંગ કેવો હશે, તેની સ્કિનનો રંગ કેવો હશે, લંબાઈપહોળાઈ કેવી હશે, મસલ્સ કેટલા મજબૂત હશે, વાળ કેવા હશે, છાતી કેટલા ઈંચની હશે અને બાળક ભવિષ્યમાં કોઈ શારીરિક કે માનસિક બીમારીનો શિકાર થઈ શકે છે કે નહીં વગેરે.

પિતૃત્વનું નિર્ધારણ
પિતૃત્વનું પરીક્ષણ બાળકના જન્મ પછી કરવામાં આવે છે, પરંતુ ગર્ભાવસ્થામાં પણ આ તપાસ કરી શકાય છે. તેની ૩ અલગઅલગ રીત છે :

ગેર-ઈનવેસિવ પ્રીનેટલ પિતૃત્વ પરીક્ષણ (એનઆઈપીપી) : આ પરીક્ષણ પ્રથમ ત્રિમાસિક દરમિયાન ગર્ભવતી મહિલાના રક્તમાં જેાવા મળતા ભ્રૂણના ડીએનએ પરથી કરવામાં આવે છે. તેને તપાસવા માટે પિતાના ચિક સેલના નમૂનાને ભ્રૂણના ડીએનએ સાથે મેચ કરવામાં આવે છે.

કોરિયોનિક વિલસ સેંપલિંગ (સીવીએસ) : આ પ્રક્રિયા માતાની ગર્ભાશય ગ્રીવા અથવા પેટના માધ્યમથી થાય છે. તેની તપાસ માટે માતા અને પિતાનો ડીએનએ મેચ કરવામાં આવે છે. સીવીએસ સામાન્ય રીતે એક મહિલાના છેલ્લા માસિકધર્મના ૧૦ થી ૧૩ અઠવાડિયા વચ્ચે થાય છે. આ પ્રક્રિયામાં ગર્ભપાત અથવા ગર્ભાવસ્થાના નુકસાનનું થોડું રિસ્ક હોય છે.

એમનિયોસેંટેસિસ : એમનિયોસેંટેસિસ દરમિયાન એક્સપર્ટ થોડાક પ્રમાણમાં એમનિયોટિક ફ્લૂઈડ કાઢે છે. આ ટેસ્ટ માટે પ્રેગ્નન્ટ માતાના પેટમાં એક નીડલ નાખવામાં આવે છે. પછી પ્રયોગશાળામાં આ ફ્લૂઈડના સેંપલને માતા અને પિતાના ડીએનએ સાથે મેચ કરવામાં આવે છે. એમનિયોસેંટેસિસ ગર્ભધારણના ૧૫ થી ૨૦ અઠવાડિયા વચ્ચે કરવામાં આવે છે. આ ટેસ્ટથી મિસ્કેરેજની શક્યતા વધી જાય છે. સમય ડીએનએ રિપોર્ટ આવવાનો તપાસ કરાવવાના લગભગ ૧ અઠવાડિયા પછી ડીએનએનો રિપોર્ટ આવે છે અને કોઈ બીમારીની તપાસમાં લગભગ ૨ થી ૩ અઠવાડિયાનો સમય લાગે છે.
– સોમા ઘોષ.

વધુ વાંચવા કિલક કરો....