સેરેબ્રલ હેમરેજ એક પ્રકારનો સ્ટ્રોક છે, જેમાં મગજને લોહી પહોંચાડતી બ્લડ વેસલ ફાટી જાય છે, જેનાથી મગજના ટિશ્યૂની ચારેય બાજુ રક્તસ્રાવ થવા લાગે છે. આવું ટ્રોમા, હાઈ બ્લડપ્રેશર, બ્રેન ટ્યૂમર અથવા લોહી પાતળું કરતી દવાના લીધે થઈ શકે છે. જ્યારે મગજમાં આ રીતે રક્તસ્રાવ થાય છે ત્યારે મગજના ટિશ્યૂને ઓક્સિજનની આપૂર્તિ બરાબર રીતે નથી થતી, જેથી મગજને નુકસાન પહોંચે છે અને દર્દીનું મૃત્યુ સુધ્ધાં થઈ શકે છે.

સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવવો ગંભીર સમસ્યા છે. તેનું જેાખમ ખાસ તો એ લોકો પર વધારે રહે છે જેમને પહેલાંથી હૃદય સંબંધિત બીમારી, જેમ કે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અથવા હાઈકોલેસ્ટ્રોલથી પીડિત હોય છે. એક અભ્યાસમાં જેાવા મળ્યું છે કે સેરેબ્રલ હેમરેજના દર્દીમાં ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતા અન્ય લોકોની સરખામણીમાં વધારે રહે છે. આ અભ્યાસમાં એ વાતની પણ જાણ થાય છે કે સેરેબ્રલ હેમરેજ થયા પછીના શરૂઆતના થોડાક મહિનામાં આ સ્થિતિનું જેાખમ વધારે હોય છે. જેમનામાં સેરેબ્રલ હેમરેજ નથી થયું હોતું. આ પરિબળોના લીધે પણ હૃદય સંબંધિત બીમારી, જેમ કે ઈસ્કેમિક સ્ટ્રોક અને હાર્ટએટેકની શક્યતા વધી જાય છે.

અહીં એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતા માત્ર એ લોકો સુધી સીમિત નથી રહેતી, જેમનામાં હૃદય સંબંધિત બીમારીનો (કાર્ડિયોવાસ્ક્યુલર રોગ) ઈતિહાસ હોય. બ્રેન બ્લીડિંગ પછી કોઈ પણ વ્યક્તિ આ સમસ્યાનો શિકાર બની શકે છે, ખાસ કરીને જે બ્લીડિંગ ખૂબ ગંભીર હોય. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતાને ઘટાડવાની અનેક રીત છે. એક રીત એ છે કે હૃદયની બીમારીને પેદા કરતા પરિબળો, જેમ કે હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસથી સુરક્ષિત રહો. તેના માટે જીવનશૈલીમાં પરિવર્તન લાવો, સ્વસ્થ આહાર લો, નિયમિત એક્સર્સાઈઝ કરો, ધૂમ્રપાન ન કરો તેમજ દારૂનું સેવન સીમિત પ્રમાણમાં કરો. બીજી રીત એ છે કે જેા ઉપર જણાવેલી બાબતમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત ડોક્ટરની સલાહ લો.

ઈસ્કેમિક સ્ટ્રોકના લક્ષણ
અચાનક કમજેારીનો અનુભવ થવો, ચહેરો, ખભા અથવા પગ સુન્ન થવા, તેમાં પણ ખાસ તો શરીરના એક ભાગમાં સુન્નપણાનો અનુભવ થવો, અચાનક ભ્રમિત થવું, બોલવા અથવા સમજવામાં મુશ્કેલી, એક અથવા બંને આંખે જેાવામાં સમસ્યા, અચાનક ચાલવામાં પરેશાની, ચક્કર આવવા, સંતુલન જાળવવામાં મુશ્કેલી, અચાનક માથામાં તીવ્ર દુખાવો.

હાર્ટએટેકના લક્ષણ
છાતીમાં દુખાવો અથવા અસહજતાનો અનુભવો થવો, શરીરના ઉપરના ભાગ, બાવડા, પીઠ, ગરદન, જડબા અથવા પેટના ઉપરના ભાગમાં દુખાવો અથવા સારું ન લાગવું, શ્વાસ લેવામાં તકલીફ, વધારે પરસેવો થવો, ઊલટી આવવી, ચક્કર આવવા અથવા સામાન્ય થાક લાગવો. અહીં એ વાત પર ધ્યાન આપવું જેાઈએ કે જરૂરી નથી કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના દરેક કિસ્સામાં ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવે. જેાકે તેનાથી બચવા માટે જરૂરી પગલાં લેવા ખૂબ જરૂરી છે. કુલ મળીને સેરેબ્રલ હેમરેજના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવવો ઘણા બધા લોકો માટે ગંભીર સમસ્યા હોઈ શકે છે. આ જેાખમ ખાસ એ લોકોમાં વધારે રહે છે જેમનામાં હૃદય સંબંધિત બીમારીનો ઈતિહાસ રહ્યો હોય, પરંતુ બ્રેન બ્લીડિંગથી પીડિત કોઈ પણ વ્યક્તિમાં આવું થઈ શકે છે. તેથી જરૂરી છે કે એ પરિબળોથી સુરક્ષિત રહો, જેનાથી હૃદયની બીમારી થતી હોય. તેની સાથે ઈસ્કેમિક સ્ટ્રોક કે હાર્ટએટેકના લક્ષણ દેખાતા ડોક્ટરનો સંપર્ક કરો.

એન્ટિપ્લેટલેટ થેરપિ
આ થેરપિમાં દર્દીને એવી દવા આપવામાં આવે છે જે બ્લડ ક્લોટ અટકાવે છે. એન્ટિપ્લેટલેટ થેરપિથી તે લોકોમાં ફરીથી સ્ટ્રોક શક્યતા ઓછી થઈ જાય છે જેમને પહેલા સેરેબ્રલ હેમરેજ થયું હોય છે.

એન્ટિકોગ્યુલેશન થેરપિ
આ થેરપિમાં એવી દવા આપવામાં આવે છે જે બ્લડ ક્લોટને બનવા અથવા મોટા થતા અટકાવે છે. આ થેરપિની સારવાર બ્લડ ક્લોટ ઘટાડવા, એટ્રિયલ ફાઈબ્રિલેશન માટે કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં સેરેબ્રલ હેમરેજની સારવાર માટે પણ આ થેરપિનો ઉપયોગ કરવામાં આવે છે. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના કેટલાક કિસ્સામાં સર્જરીની જરૂર પડે છે. તેમાં ફાટેલી બ્લડ વેસલનું રિપેરિંગ કરવામાં આવે છે. ઘણી વાર બ્રેન ટ્યૂમરને દૂર કરવા અને બ્લીડિંગના લીધે મગજ પર પડતા દબાણને ઘટાડવા પણ સર્જરી કરવામાં આવે છે. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના ઠીક થયા પછી રીહેબિલિટેશન પણ જરૂરી છે. મગજને કેટલું નુકસાન પહોંચ્યું છે, તેને ધ્યાનમાં રાખીને દર્દીને ફિઝિકલ થેરપિ, ઓક્યુપેશનલ થેરપિ, સ્પીચ થેરપિ અથવા જરૂર મુજબની બીજી કોઈ થેરપિ આપવામાં આવે છે, જેથી દર્દીના ફંક્શન ફરીથી સામાન્ય થાય અને તેના જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે.

અહીં એ વાત પર ધ્યાન આપવું પણ જરૂરી છે કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની સારવાર અને વ્યવસ્થા મુશ્કેલ બને છે. તેને દર્દીની વ્યક્તિગત જરૂરિયાત અનુસાર નક્કી કરવામાં આવે છે. તેથી દર્દીએ સત્વરે ડોક્ટરનો સંપર્ક કરવો જેાઈએ.
ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતાને ઘટાડવા માટે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના જેાખમથી બચવું જેાઈએ. હાઈ બ્લડપ્રેશર, ધૂમ્રપાન, દારૂનું વધારે પડતું સેવન અને લોહી પાતળું કરવાની દવા વગેરે એવા પરિબળ છે, જેથી સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની શક્યતા વધી જાય છે. જીવનશૈલીમાં બદલાવ લાવીને અને કેટલીક દવાની મદદથી સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની શક્યતા ઘટાડી શકાય છે. નિયમિત રીતે શારીરિક એક્સર્સાઈઝથી પણ સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની શક્યતામાં ઘટાડો કરી શકાય છે અને હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકાય છે. તેનાથી ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય સંબંધિત બીમારીથી બચાવી શકાય છે.
– પ્રતિનિધિ.

વધુ વાંચવા કિલક કરો....